ઉમરેઠમાં પૂ.સવિતામાસીનું નિધન
16th Oct, 2009
ઉમરેઠની ત્રણ પોળ ખાતે રહેતા પૂ.સવિતામાસીનું લાંબી માદગી બાદ ગતરોજ દશેરાના દિવસે અવસાન થયુ હતુ, પૂ.સવિતા માસી પોતાના જીવન દરમ્યાન લાલાની ભક્તિમાં મગ્ન બની ગયા હતા, ઉમરેઠમાં લોકવાયકા હતી કે પૂ.સવિતા માસી લાલા (શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ) સાથે પ્રત્યક્ષ વાતો પણ કરતા હતા. પૂ.સવિતામાસી ના ઘરમાં લાલાનું મંદિર પણ બનાવવામાં આવ્યુ છે, જ્યાં નિત્ય મુખ્યાજી પુજા પાઠ પણ કરે છે.પૂ.સવિતામાસીની સ્મશાનયાત્રામાં મોતી સંખ્યામાં ભક્તો જોડાયા હતા,સ્મશાન યાત્રા બેન્ડબાજા સાથે ભગવાનની ધુન અને ભજન કિર્તન કરત નિકળી હતી સ્મશાનયાત્રા દરમ્યાન નગરના વિવિધ વિસ્તારોમાં પૂ.સવિતામાસીના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા.
User Statstics
- 1425  Total Users
- 0  Online Users
- 76  Guests

Forum
Active Topics
Posts
1
3
9






