ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા વેબ સાઈટ ખુલ્લી મુકાઈ
ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા http://www.khadayatadue.com જ્ઞાતિની વેબ સાઈટ તાજેતરમાં ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શ્રી નવનીતલાલ પરીખએ જણાવ્યું હતુ કે, આજના ઈ-યુગમાં દિવસે દિવસે લોકો ઈન્ટરનેટને અપનાવવા લાગ્યા છે, ત્યારે સમય સાથે તાલ મિલાવીને ઈ-યુગમાં જ્ઞાતિની વેબ સાઈટ દ્વારા જ્ઞાતિજનો એક બીજાના સંપર્કમાં રહે તે હેતુથી અદ્યતન વેબ સાઈટ બનાવવામાં આવી છે. આ વેબ સાઈટમાં જ્ઞાતિજનોના સરનામાં ફોન નંબર સહિત મુકવામાં આવ્યા છે તેમજ અન્ય ધાર્મિક માહિતી અને રસસભર કોલમો આ વેબ સાઈટમાં મુકવામાં આવ્યા છે. નાના બાળકોથી માંડી વૃધ્ધો તમામ લોકોને આ સાઈટ ઉપયોગી નિવળે તેવું આયોજન કરવામાં આવેલ છે, વધુમાં જ્ઞાતિના પ્રમુખ નવનીતભાઈ પરીખએ જણાવ્યુ હતુ કે, હાલમાં જ્ઞાતિની વેબ સાઈટ ઉપર જે સરનામાં આવ્યા છે તે અપૂરતા છે જ્યારે જે જ્ઞાતિજનના એડ્રેસ વેબ સાઈટ ઉપર આવ્યા નથી તેઓ સત્વરે જ્ઞાતિના કાર્યકરને પોતાના સરનામાં ફોન નંબર સહિત મોકલી આપે જેથી સરનામાંવલિ સત્વરે પૂર્ણ કરી શકાય. જ્ઞાતિની વેબ સાઈટ ખુલ્લી મુકાતા જ્ઞાતિના યુવાનોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જ્યારે જ્ઞાતિજનો હવે આ વેબ સાઈટ ધ્વારા ઝડપથી એક બીજાના સંપર્કમાં આવી શકશે, અને જ્ઞાતિમાં બનતી ઘટનાઓથી માહિતગાર બની શકશે. જ્ઞાતિની વેબ સાઈટ બનાવવા માટે પ્રમુખ નવનીતભાઈ પરીખ,મુંબઈ તેમજ પંકજભાઈ શાહ, ઉમરેઠે ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે આવનારા દિવસોમાં પ્રોજેક્ટરથી સાઈટ જ્ઞાતિજનોને બતાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.
User Statstics
- 543  Total Users
- 0  Online Users
- 2  Guests




